દિવગંત બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ભાઇના મોતને લઇને આશ્ચર્ય જનક ખુલાસો કર્યો છે, જેને લઇને તે હવે ચર્ચામાં બની છે. તેમણે દાવો કર્યો હતો કે બે મનોવિજ્ઞાની, એક યુનાઇટેડ સ્ટેટ્સનો અને બીજો મુંબઈનો. તેમણે ખુલાસો કર્યો છે કે સુશાંતની હત્યા બે લોકોએ કરી છે અને તેણે આત્મહત્યા નથી કરી. શ્વેતાએ રિયા ચક્રવર્તીનો પણ ઉલ્લેખ કર્યો, જે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી. સુશાંત સિંહનુ મોત જૂન 2020માં થયુ હતુ, ત્યાર બાદ જ એક્ટ્રેસ રિયા ચર્ચામાં આવી છે. તો આ મામલામાં સીબાઇ, ઇડી અને એનસીબી જેવા સરકારી એજન્સી હજુ પણ તપાસમાં લાગેલી છે.


સુશાંત સિંહની હત્યા કે આત્મહત્યા?

આ મુદ્દે શ્વેતા સિંહ કીર્તિએ જણાવ્યું કે સુશાંતના આત્મહત્યા કેસ પર તેમણે પ્રશ્નો ઉઠાવ્યા, પરંતુ લોકોને તે વાત સારી લાગી નહીં અને તેમને ખરાબ બતાવવામાં આવ્યા. તાજેતરનમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું, આ આત્મહત્યા કેવી રીતે થઈ શકે? જે ફેન હતો અને જે બેડ હતો, એ વચ્ચે એટલું અંતર જ નહોતું કે કોઈ માણસ પોતાનો પગ લટકાવી શકે. જો તમને આત્મહત્યા કરવી હોય તો તમે સ્ટૂલનો ઉપયોગ કરશો, નહીં? પરંતુ ત્યાં કોઈ સ્ટૂલ જેવી વસ્તુ નહોતી.

સુશાંતસિંહ રાજપૂતનુ બે લોકોએ મર્ડર કર્યુ

ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે એમ પણ જણાવ્યું કે એક્ટરના ગળામાં જે નિશાન હતા, તે કપડાના નહોતા, પોતાના ભાઈ સુશાંતસિંહ વિશે વાત કરતાં તેમણે કહ્યું, જો તમે તેનુ નિશાન પણ જોશો ને, તો એ દુપટ્ટાનું નિશાન જ નથી. એ તો પાતળી ચેઇન જેવુ નિશાન છે” વાતચીત દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને આંખોમાં આંસુ સાથે આગળ કહ્યું કે એક્ટરના નિધન પછી થોડા સમયમાં બે મનોવિજ્ઞાનીઓએ તેમની સાથે વાત કરી એક મુંબઈનો અને બીજો અમેરિકાનો હતો, અને બંને એકબીજાને ઓળખતા નહોતા, પરંતુ બંનેએ એક જ વાત કહી જે સત્ય છે.તેમણે દાવો કર્યો કે, મારા ભાઈ સુશાંતસિંહ રાજપૂતની બે લોકોએ હત્યા કરી હતી.

રિયા ચક્રવર્તી વિશે સુશાંતની બહેને કહ્યુ કે....

એટલું જ નહીં, સુશાંતની બહેને તેની પૂર્વ પ્રેમિકા રિયા ચક્રવર્તીની એક રહસ્યમય કવિતા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, એણે એક બહુ અજીબ કવિતા લખી હતી... ઇન્સ્ટાગ્રામ પર એક ફોટા સાથે, અને ભાઈએ પણ એ કવિતાને લાઈક કરી હતી. તેમાં લખ્યું હતું તમે બહુ ઊંચું ઉડી રહ્યા છો અને તમારી પાંખ કાપવી જરૂરી છે અને એ વાત મને એ સમયે બહુ અજીબ લાગી હતી. 

  • Follow us on: