ટેલિવિઝન ઇતિહાસના સૌથી લોકપ્રિય કોમેડી શોઝમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ખુબ પોપ્યુલર હતું. આ પાત્રને દિશા વાકાણી ભજવી રહ્યા હતા. તેઓ 2017 માં મેટરનિટી લીવ પર ગઈ હતી અને આ પછી તેણે શોમાં વાપસી જ ન કરી. છેલ્લા આશરે 9 વર્ષથી શોમાંથી ગાયબ રહેલા દર્શકોના સૌથી વહાલા દયા ભાભી એટલે કે દયાબેન આખરે ગોકુલધામ સોસાયટીમાં વાપસી કરવા જઈ રહ્યા છે.

મમ્મી આવી રહ્યા છે! ટપ્પુની વાત સાંભળી જેઠાલાલ ખુશ થયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેણે પ્રશંસકોની ઉત્સુકતા વધારી દીધી છે. આશરે 9 વર્ષ પછી શોમાં દયાબેનની વાપસી થવા જઈ રહી છે. સામે આવેલા લેટેસ્ટ પ્રોમો વીડિયોની શરૂઆત ખુબ જ ઇમોશનલ અને ધમાકેદાર અંદાજમાં થાય છે. જેઠાલાલના દીકરા ટપ્પુને ઘરમાં ખુબ ઉત્સાહિત થઈને બૂમો પાડતો જોઈ શકાય છે. ટપ્પુ ખુબ ખુશ થઈને દાદાજી અને જેઠાલાલની સામે આવીને કહે છે, શું મમ્મી આવી રહ્યા છે!

તારક મહેતા... નો નવો પ્રોમો રિલીઝ

આ સાંભળતા જ જેઠાલાલની આંખો ખુલ્લી રહી જાય છે અને તેમના ચહેરા પર એક મોટી મુસ્કાન આવી જાય છે. પોતાની વહાલી દયાના આવવાના સમાચાર સાંભળતા જ જેઠાલાલ ખુશીથી ફૂલ્યા નથી સમાતા અને ઝૂમવા લાગે છે. પૂરા ગોકુલધામમાં આ વાતને લઈને ચહલપહલ તેજ થઈ ગઈ છે કે તેમના વહાલા દયાબેન પાછા ફરી રહ્યા છે.
https://www.instagram.com/reel/DarbanoR9QA/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

શું સુંદરલાલ ફરી છેતરશે? તારક મહેતાએ વ્યક્ત કરી આશંકા

દયા ભાભીની વાપસીની ચર્ચા સાંભળતા જ જેઠાલાલ તરત જ પોતાના પરમ મિત્ર અને ફાયર બ્રિગેડ તારક મહેતા પાસે પહોંચે છે. જેઠાલાલ કહે છે, દયા આવશે ને... તો તેના હાથની બનેલી મસ્ત રજવાડી ચા પીશ ને! જ્યાં એક તરફ જેઠાલાલ, ટપ્પુ અને બાપુજી મળીને દયા ભાભીના સ્વાગતના સપના સજાવી રહ્યા છે અને પૂરી સોસાયટીમાં જશ્નનો માહોલ છે, ત્યાં આ પ્રોમોમાં એક મોટો સસ્પેન્સ પણ છોડી દેવામાં આવ્યો છે. જેઠાલાલના પરમ મિત્ર તારક મહેતા આ સમાચારથી થોડા પરેશાન છે. તેઓ કહે છે, મને લાગી રહ્યું છે કે તે આજે પણ દયા ભાભીને લઈને નહીં આવે.

9 વર્ષની લાંબી રાહ શું પૂરી થશે?

જો કે આ પહેલીવાર નથી જ્યારે શોમાં દયા ભાભીની વાપસીનો આવો માહોલ બનાવવામાં આવ્યો હોય. આ પહેલાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાય એવા મોકા આવ્યા છે, જ્યારે દયાબેનના ભાઈ સુંદરલાલે જેઠાલાલને વચન આપ્યું કે દયા આવી રહી છે, પરંતુ છેલ્લી ઘડીએ તે એકલો જ ગોકુલધામ સોસાયટી પહોંચી જાય છે. મેકર્સ કેટલીય વાર સ્ટોરીમાં એવો ટ્વિસ્ટ લાવી ચૂક્યા છે, જ્યાં દર્શકોને લાગે છે કે હવે તેમની રાહ પૂરી થવાની છે, પરંતુ અંતમાં તેમના હાથમાં માત્ર નિરાશા જ આવે છે. આ જ કારણ છે કે પ્રોમોમાં તારક મહેતાની વાત સાંભળીને પ્રશંસકો પણ ડરેલા છે કે ક્યાંક આ વખતે પણ સુંદરલાલનું કોઈ નવું બહાનું પૂરી ગોકુલધામ સોસાયટી અને દર્શકોનું દિલ ન તોડી નાખે.

આ પણ વાંચો-Lock Upp : 'રૂમમાં 30-40 લોકો હતા...' રામ કપૂરે બાળપણમાં થયેલી છેડછાડનો કર્યો ચોંકાવનારો ખુલાસો!