લોકપ્રિય સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી દિશા વાકાણી બાપ્પાના આશીર્વાદ લેવા લાલબાગચા રાજાના પંડાલમાં પહોંચી હતી. આ સમય દરમિયાનનો તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં દિશા વાકાણી માસ્કથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી રહી છે તો બીજી તરફ રક્ષાબંધનના ખાસ અવસર પર અસિત મોદી દિશા વાકાણીના ઘરે પહોંચ્યા હતા અને રાખડી બંધાવી હતી. તેથી લોકોને હવે અવું લાગી રહ્યું છે કે, દયાબેન બપ્પાના આશિર્વાદ લીધા બાદ શોમાં પાછા ફરશે.
તારક મહેતામાં પાછા ફરશે દયાબેન?
લાલબાગ કા રાજાના દરબારમાં લાઈમલાઈટથી દૂર રહેતી તેમની પ્રિય દયાબેનને જોઈને ફેન્સ ખુશ થયા હતા. તેણીના ચહેરા પર માસ્ક હોવાથી આસપાસના લોકો તેણીને ઓળખી શક્યા નહીં પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ ફરી એક જ સવાલ કર્યો હતો કે, દયાબેન શોમાં ક્યારે પાછા ફરશે તેમના વગર આ શો જોવાની મજા આવતી નથી. જોકે દિશા વાકાણીનો લુક પહેલા કરતા ઘણો બદલાઈ ગયો છે છતાં પણ લોકો હજુ પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે તેમનો કોઈપણ વીડિયો કે ફોટોઝ સામે આવતા જ ફેન્સ ખુશીથી ઉછળવા લાગે છે.













