ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું જીવન ખૂબ પ્રેરણાદાયક છે, જેના કારણે તેમના જીવનને દર્શાવતી એક ફિલ્મ બનવા જઈ રહી છે. સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ નિર્માણ પામેલી ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં મુખ્યમંત્રીના બાળપણથી નેતૃત્વ સુધીની સફર દર્શાવવામાં આવશે. આ બાયોપિકમાં અનંત જોશી યોગી આદિત્યનાથનું પાત્ર ભજવવાના છે. જ્યારે પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ એટલે કે નિરહુઆ પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.


સીએમ યોગીના જીવન પર આધારિત ફિલ્મ

આ ફિલ્મ તેમના જીવનના તમામ પાસાઓને આવરી લે છે. આમાં તેમના શરૂઆતના વર્ષો, નાથપંથી યોગી તરીકે સન્યાસ લેવાનો તેમનો નિર્ણય અને ઉત્તર પ્રદેશના સામાજિક-રાજકીય પરિમાણને ફરીથી આકાર આપનાર નેતા તરીકેનો તેમનો વિકાસ શામેલ છે. સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ રીતુ મેંગી દ્વારા નિર્મિત અને મહારાણી 2 ફેમ રવિન્દ્ર ગૌતમ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના બેસ્ટ સેલિંગ પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પરથી પ્રેરિત છે. આમાં નાટક, ભાવના, એક્શન અને બલિદાનનો રોમાંચક સંગમ જોવા મળશે.

ક્યારે રિલીઝ થશે?

આ બાયોપિકમાં યોગી આદિત્યનાથની ભૂમિકા અનંત જોશીએ ભજવી છે, જ્યારે પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’, અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા સિંહે પણ ફિલ્મમાં જોરદાર અભિનય કર્યો છે. આ ફિલ્મ, જે 2025 માં વિશ્વભરમાં ભવ્ય રિલીઝ માટે તૈયાર છે, તે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે. ફિલ્મનું સંગીત મીત બ્રધર્સે આપ્યું છે, જ્યારે લેખન દિલીપ બચ્ચન ઝા અને પ્રિયાંક દુબેએ કર્યું છે.

ફિલ્મ વિશે નિર્માતાઓએ શું કહ્યું?

સમ્રાટ સિનેમેટિક્સના નિર્માતા રીતુ મેંગીએ જણાવ્યું હતું કે ‘યોગી આદિત્યનાથનું જીવન પડકારો અને ફેરફારોથી ભરેલું છે.’ અમારી ફિલ્મ તેમની યાત્રાને આકર્ષક અને નાટકીય રીતે દર્શાવે છે, અને તેમને આકાર આપતી ઘટનાઓને જીવંત બનાવે છે. શાનદાર કલાકારો અને મનોરંજક વાર્તા સાથે, અમે આ પ્રેરણાદાયી વાર્તાને વિશ્વભરના દર્શકો સમક્ષ લાવવા માટે ઉત્સાહિત છીએ.

  • Follow us on: