2025માં ગુજરાતે સાહિત્ય અને રાજકીય ક્ષેત્રે અગ્રણી રહેલા મહાનુભાવો ગુમાવ્યા હતા. જેમણે પોતાના ક્ષેત્રમાં અનેક સિદ્ધી હાંસલ કરી હતી.
વિજય રુપાણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું આ વર્ષે આકસ્મિત નિધન થયું હતું. વિજય રુપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ થયો હતો. તેઓ 5 ઓગસ્ટ 2016 થી 11 સપ્ટેમ્બર 2021 સુધી સતત બે કાર્યકાળ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી રાજકોટ પશ્ચિમ મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિ હતા . તેઓ એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોમાંના એક હતા .
અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન
12 જૂન 2025 ના રોજ, લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 171 માં મૃત્યુ પામેલા 241 લોકોમાં તેમનો પણ સમાવેશ થતો હતો . અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભર્યાના થોડા સમય પછી , વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બ્લોકમાં ક્રેશ થયું , જેમાં એક સિવાય બધા જ લોકો મૃત્યુ પામ્યા, તેમજ જમીન પર 19 લોકો મૃત્યુ પામ્યા. ડીએનએ વિશ્લેષણ દ્વારા રૂપાણીના મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી. બળવંતરાય મહેતા પછી, તેઓ ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા જેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું
Also Read
કરસન સોલંકી
કરસનભાઇ સોલંકી ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા સંસદના સભ્ય (MLA) હતા, અને 2022નાં વિધાનસભા ચુંટણીમાં જીત્યા હતા.કરશનભાઈ સોલંકીનો જન્મ 1 જાન્યુઆરી 1957 ના રોજ થયો હતો જ્યારે તેમનું નિધન 4 ફેબ્રુઆરી 2025 ના રોજ થયું હતું. તેઓ કડી વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા, જે મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત છે. તેમણે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. 4 ફેબ્રુઆરી 2025 ના રોજ, લાંબા સમયની બીમારી પછી તેમનું નિધન થયું હતું.
હરિક્રીષ્ણ પાઠક
હરિક્રીષ્ણ પાઠક ગુજરાતી ભાષાના વિખ્યાત કવિ, લેખક, સંપાદક હતા તથા બાળકોનું સાહિત્ય પણ તેમણે રચ્યું હતું. હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનો જન્મ 5 ઑગસ્ટ 1938 ના રોજ થયો હતો અને તેમનું નિધન 27 માર્ચ 2025ના રોજ થયું હતું. ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, સંપાદક અને બાળસાહિત્યકાર હતા. 28 માર્ચ 2025ના રોજ ગાંધીનગરમાં 86 વર્ષની વયે તેમના નિધન સમાચાર આવ્યા. 1961-62 માં તેઓ સોનગઢમાં શિક્ષક તરીકે જોડાયા. 1963થી તેઓ ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ અને પછીથી વિભાગીય અધિકારી અને પછી મદદનીશ સચિવના પદથી નિવૃત્ત થયા હતા. તેમણે મિજલસ અને બૃહસ્પતિ સભા જેવા સાહિત્યિક વર્તુળોનું સંચાલન કર્યું હતું. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ પણ રહ્યા હતા.તેઓ ચિત્રકાર, રેખાચિત્રકાર તેમજ ગાયક પણ હતા. 27 માર્ચ 2025ના રોજ ગાંધીનગર ખાતે તેમનું અવસાન થયું હતું
રજનીકુમાર પંડ્યા
રજનીકુમાર પંડ્યા ગુજરાતી ભાષાના લેખક અને પત્રકાર હતા. નવલકથાઓ, ધારાસભ્ય કથાઓ, અહેવાલ, લેખો લખનાર; ગ્રામ્ય પત્રકારિતામાં તેમની ઓળખ હતી. રજનીકુમાર પંડ્યાનો જન્મ 6 જુલાઈ 1938ના રોજ થયો હતો. તેઓ તેમની ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, જીવનચરિત્રાત્મક નિબંધો અને સ્તંભો માટે જાણીતા હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં, ખાસ કરીને ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રમાં તેમનું નોંધપાત્ર યોગદાન હતું. તેમની કારકિર્દી દરમિયાન તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કુમાર સુવર્ણ ચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કારોનો સમાવેશ થાય છે વ્યાવસાયિક રીતે, તેમણે 1959 થી 1966 સુધી સરકારી ઓડિટર તરીકે અને 1966 થી 1989 સુધી બેંક મેનેજર તરીકે કામ કર્યું. તેમનું 15 માર્ચ 2015 ના રોજ 86 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું
જોરાવરસિંહ જાદવ
જોરાવરસિંહ જાદવ ગુજરાતની લોક-સાંસ્કૃતિક વારસામાં સૌથી મોટાં યોગદાન આપનાર, લોકકલા અને લોકસાહિત્ય અંગેના સંશોધક, લેખક હતા. તેમણે 90થી વધુ પુસ્તક/લેખો લખી-સંપાદિત કર્યા હતા જોરાવરસિંહ દાનુભાઈ જાદવ ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક હતા. તેમણે લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત ૯૦ જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી છે. 7 નવેમ્બર 2025ના રોજ, અમદાવાદમાં 85 વર્ષની વયે તેમનું નિધન થયું.
અનિલ જોશી
અનિલ રમાનાથ જોશીનો જન્મ 28 જુલાઇ 1940ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી નિબંધકાર અને કવિ હતા. તેમનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે 1964માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. ટૂંકી માંદગી બાદ 84 વર્ષની વયે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મુંબઈ ખાતે તેઓનું અવસાન થયું હતું.
હેમાબેન આચાર્ય
હેમાબેન આચાર્ય 1970–80માં ગુજરાતમાં આરોગ્ય મંત્રી તરીકે રહ્યા હતા. 11 મે 2025ના રોજ, જૂનાગઢમાં 91-92 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. જનનસંઘનાં પાયાના પત્થર એવા પ્રખર જનસંઘી, આજીવન ખાદીધારી અને ભાજપના વરિષ્ઠ આગેવાન પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું ટૂંકી બીમારી બાદ 93 વર્ષની જૈફ વયે જૂનાગઢમાં નિધન થયું હતું.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : અમદાવાદ પ્લેન ક્રેશની દૂર્ઘટનાએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આખુ વર્ષ ગોઝારુ સાબિત થયું













