• CBIએ રાબડી દેવીની 4 કલાક પૂછપરછ કરી હતી
  • CBIએ રાબડી દેવીને પૂછપરછ માટે નોટિસ આપી હતી
  • જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના મામલામાં પૂછપરછ

CBIની ટીમ સોમવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે પહોંચી હતી. CBIએ રાબડી દેવીની 4 કલાક પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે IRCTC કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના મામલામાં તપાસ એજન્સીએ પૂર્વ મુખ્યમંત્રીની પૂછપરછ કરી હતી.

મળતી માહિતી મુજબ CBIની 12 સભ્યોની ટીમ રાબડી દેવીની પૂછપરછ કરવા આવી હતી. આ દરમિયાન તેમના પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ પણ હાજર હતા. CBIએ રાબડી દેવીને પૂછપરછ માટે નોટિસ આપી હતી. અગાઉ આ તપાસ CBIની ઓફિસમાં થવાની હતી. પરંતુ બાદમાં તેમને રાહત આપતા CBIએ તેમની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરવાનો નિર્ણય લીધો હતો. રાબડી દેવીના વકીલ પણ તેમના ઘરે પહોંચી ગયા છે.

ઘરની બહાર કાર્યકર્તાઓનું પ્રદર્શન

બીજી તરફ આરજેડી કાર્યકર્તાઓ રાબડી દેવીના ઘરની બહાર એકઠા થયા હતા. તેઓ CBIની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા. કાર્યકર્તાઓ શર્ટ ઉતારીને વિરોધ કરતા રહ્યા. કાર્યકરોએ CBI અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે રાબડી દેવીના આવાસ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

કોર્ટે લાલુ, રાબડી સહિત 14 લોકોને સમન્સ મોકલ્યું છે

અગાઉ, IRCTC કૌભાંડ કેસમાં, કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 14 આરોપીઓને સમન્સ જારી કર્યા છે અને તેમને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. આ સમન્સ એવા સમયે જારી કરવામાં આવ્યું છે જ્યારે લાલુ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિંગાપોરથી સ્વદેશ પરત ફર્યા છે.

IRCTC કૌભાંડની તપાસ CBI કરી રહી છે

CBI રેલવેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપોની તપાસ કરી રહી છે. એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં લાલુ યાદવના નજીકના અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી છે. આરજેડી નેતા લાલુ યાદવના ઓએસડી ભોલા યાદવની સીબીઆઈ દ્વારા 27 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ભોલા 2004થી 2009 વચ્ચે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના ઓએસડી હતા.


  • Follow us on: