રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને પૂરતા દબાણથી વીજ પુરવઠો મળી રહે તે માટે હયાત ફીડરનું વિભાજન કરવું જરૂરી છે. ખેડૂતોના હિતમાં રાજ્યમાં જરૂરિયાત મુજબ આ હયાત ફીડરનું વિભાજન કરીને નવા ફીડર નાખવામાં આવે છે.
બનાસકાંઠા,અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરીને રૂ. ૨૯.૧૭ કરોડના ખર્ચે કુલ ૧૭૭ નવા ફીડર નાખવા - કાર્યરત કરવામાં આવ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં વિવિધ ધારાસભ્યઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.













