- રાજા રણછોડની ધામ પૂર્વક નીકળી રથયાત્રા
- ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
યાત્રાધામ ડાકોરમાં 252મી રથયાત્રા નિકળી છે. જેમાં રાજા રણછોડની ધામધૂમ પૂર્વક રથયાત્રા નીકળતા નગરજનોમાં ઉત્સાહનો માહોલ છે. ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. તેમજ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
રાજા રણછોડની 252મી રથયાત્રા ખૂબ ઉત્સાહ સાથે નિકળી
મંડળીઓ સહિત સેવાકીય સંસ્થાઓ પણ યાત્રાધામ ડાકોરની રથયાત્રામાં જોડાઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રાજા રણછોડની 252મી રથયાત્રા ખૂબ ઉત્સાહ સાથે નિકળી છે. જેમાં ભગવાન રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. આશરે 9 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા છે. રથયાત્રામાં કોઈપણ ખોટો બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર રથયાત્રાના રૂટમાં ભજન મંડળીઓ સહિત સેવાકીય સંસ્થાઓ પણ જોડાઈ છે.
ભાવનગરમાં ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા યોજાઇ
ભાવનગરમાં ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા યોજાઇ છે. જેમાં ભાવનગરમાં મહાદેવ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ છે. મંત્રી નિમુબેન બાંભણીયાએ જગન્નાથના દર્શન કર્યા છે. તેમજ મેયર, જીતુ વાઘાણી, સેજલ પંડ્યાએ પણ રથયાત્રામાં ભગવાનના દર્શન કર્યા છે. શહેરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે.