મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન વિશેષ કરુણા અભિયાનનું આયોજન કરાયું હતું. મકરસંક્રાતિના પર્વ દરમિયાન અબોલ ઘાયલ પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ૧૯૬૨ કરુણા અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૬૬ અબોલ પશુ પક્ષીઓને સારવાર અપાઇ છે. જેમાં ૮ પક્ષીઓ, ૪૮ કૂતરાઓ, ૯ ગાયો અને ૧ બિલાડીનો સમાવેશ થાય છે.
ડોકટરની સેવા પણ સારી રહી













