- ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા હતા તબીબ
- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટએટેકથી મોતનું કારણ સામે આવ્યું
- ગઈકાલે સાંજે તબબીને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા
રાજ્યમાં સતત હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકની ઘટના વધી છે. આ દરમિયાન રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે, જેને લઈ મૃતક તબીબના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
આ અંગેની માહિતી અનુસાર, રાજકોટના 22 વર્ષીય તબીબ અવિનાશ વૈષ્ણવનું હ્રદય રોગના હુમલાના કારણે નીપજ્યું મોત હતું. તબીબ ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમને રવિવારે સાંજ અચાનક જ છાતીમાં દુખાવો થયો હતો.













