અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 વહીવટદારોની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા બહાર આ તમામ વહીવટદારોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આ બદલીના આદેશ કર્યા છે. ત્યારે અમદાવાદથી લઈને અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવતા પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. લાંબા સમયથી વહીવટ કરતા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. 


તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ તમામ પોલીસ કર્મચારીઓને બદલીવાળી જગ્યાએ હાજર થવા અને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશ અધિક પોલીસ મહાનિર્દેશક ખુરશીદ એહમદ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પોલીસ કર્મચારીઓની કરાઈ બદલી

  1. રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ- તાપી જિલ્લામાં બદલી
  2. કેયુર ધીરૂભાઈ બારોટ - જુનાગઢ જિલ્લામાં બદલી
  3. સિરાજ રજાક મન્સુરી- પોરબંદર જિલ્લામાં બદલી
  4. હરવિજયસિંહ દિગ્વીજયસિંહ ચાવડા- અમરેલી જિલ્લામાં બદલી
  5. જગદીશ કાંતિલાલ પટેલ- પશ્ચિમ કચ્છ ભૂજ જિલ્લામાં બદલી
  6. મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર- જામનગર જિલ્લામાં બદલી
  7. ફિરોજખાન મનસુરખાન પઠાણ- બોટાદ જિલ્લામાં બદલી
  8. ઈન્દ્રવિજયસિંહ દાદુભા વાઘેલા- નર્મદા જિલ્લામાં બદલી
  9. મહિપતસિંહ ઉદેસિંહ ચૌહાણ- જામનગર જિલ્લામાં બદલી
  10. લાલજી ચતુરભાઈ દેસાઈ- દેવભુમિ દ્વારકા જિલ્લામાં બદલી
  11. સમીઉવા યાવરમિંયા ઠાકોર- રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બદલી
  12. જીવણ મેઘજી યાદવ- મહીસાગર જિલ્લામાં બદલી
  13. અક્ષયસિંહ રામસિંહ પુવાર- પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બદલી 

  • Follow us on: