ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા અમલીકૃત કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેડૂતોને ભારત સરકાર માન્ય ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવેલા માન્ય વેલીડીટી ધરાવતા ખેત ઓજારો અથવા સાધનો સહાયિત દરેથી આપવામાં આવશે.


નોંધણીની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરાશે

જે અન્વયે ઓજારોની તમામ કંપનીઓએ આઈ-ખેડૂત ૨.૦ (ikhedut.gujarat.gov.in ) પોર્ટલ પર ફરજીયાત પણે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવવામાં માટે પોર્ટલમાં “કંપની નોંધણી” પર ક્લિક કરીને કંપની પસંદ કરવાની રહેશે. ત્યારબાદ જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત કંપનીઓએ તેમના અધિકૃત ડિલર નિમવા માટે ડિલરો પાસે પણ “ડિલર” તરીકે આ જ પદ્ધતિ મુજબ નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણીની છેલ્લી તારીખ ૨૦/૦૫/૨૦૨૫ સુધીની રહેશે, જે મુજબ નોંધણીની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા, ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

  • Follow us on: