દૂધાળા પશુઓની સંભાળ સારી રીતે રાખવી જોઈએ. ખાસ કરીને દૂધ દોહતા સમયે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. કારણ કે એવી ઘણી બાબતો છે, જેનું દૂધ દોહતી વખતે ધ્યાન ન રાખવામાં આવે તો દૂધ ઉત્પાદન પર તેની નકારાત્મક અસર પડે છે. જેથી પશુપાલકને નુકસાન થાય છે. દૂધ દોહતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એ અંગે પશુ ચિકિત્સકોની સલાહ પણ જરૂરી છે. 


દૂધાળા પશુઓ પાસેથી દૂધ દોહતા સમયે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. દૂધ દોહતા પહેલા હાથોને સારી રીતે સાબુથી ધોવા જોઈએ. દૂધ દોહવાના વાસણ પણ સ્વચ્છ અને ઉકાળેલા પાણીથી ધોયેલા હોવા જોઈએ. જે જગ્યા પર દૂધ દોહવામાં આવે છે, ત્યાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. દૂધ દોહતા પહેલા પશુને શાંત રાખવું જોઈએ. પશુના આંચળને ગરમ પાણીથી ધોઈને સ્વચ્છ કરવા જોઈએ.

પશુપાલકોએ ગાય-ભેંસને કેવી રીતે દોહવું જોઈએ દૂધ?

દૂધ દોહતી વખતે પશુને કોઈ પણ પ્રકારની પીડા ન પહોંચાડવી જોઈએ. દૂધ દોહતી વખતે પશુના આંચળને ખેંચવા ન જોઈએ. અંગૂઠાને બહાર રાખીને મુઠ્ઠી બનાવીને ધીરે ધીરે અને સતત દૂધ દોહતા રહેવું જોઈએ. દૂધના પહેલા કેટલાક ટીપાંને ફેંકી દેવા જોઈએ. દૂધ દોહતી વખતે વાતો ન કરવી અને ધૂળ-માટીથી બચવું જોઈએ. બીમાર પશુનું દૂધ ન દોહવું જોઈએ. દૂધ દોહતા સમયે માખીઓ અને અન્ય જીવજંતુઓથી બચવું જોઈએ. દૂધ દોહી લીધા પછી આંચળને સ્વચ્છ પાણીથી ધોઈ લેવા જોઈએ. દૂધનો સંગ્રહ યોગ્ય રીતે થવો પણ જરૂરી છે. દોહેલું દૂધ તરત જ ઢાંકીને ઠંડી જગ્યાએ રાખવું જોઈએ. દૂધને સૂર્યપ્રકાશ કે ગરમીથી દૂર રાખવું જોઈએ. દૂધને ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ. આવું કરવાથી દૂધ બગડી શકે છે.

  • Follow us on: