દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત રુ.100માં ગાય અને ભેંસનો વીમો ઊતરાવી શકાશે. પશુપાલકોનું રૂ.100થી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. પશુના આકસ્મિક મોતમાં રુ.40 હજાર સુધીની રકમ મળશે.


દક્ષિણ ગુજરાત પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઊતરાવી શકશે, જેમાં પશુધન વીમા સહાય યોજના અંતર્ગત ૧૦૦ રૂપિયાથી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. ગાય-ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને 40,000 રૂપિયા સુધી મળશે. દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતાંક દર સરેરાશ 7થી 10 ટકા છે. સુરત-તાપીના 6,00,000 પશુ પૈકી માત્ર 30,000 પશુનો જ વીમો છે. પશુવીમા માટે ICICI બેંક સાથે રાજ્ય સરકારનો કરાર કરવામાં આવ્યા છે.

કેવી રીતે મળશે આ યોજનાનો લાભ?

  • આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.
  • 10 પશુઓ સુધી વીમો લેવાશે (ફક્ત 3થી 5 વર્ષ વયનાં પશુઓ માટે).
  • 100 રૂપિયા પ્રીમિયમ ભર્યા બાદ રસીદ અને વીમાની કોપી મેળવો.
  • આકસ્મિક મોતના કિસ્સામાં 40,000 રૂપિયાં સુધી સહાય મળશે.

દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે ફક્ત રૂ.100 ચૂકવીને દૂધાળી અથવા ગાભણ ગાય-ભેંસનો વીમો ઊતારવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. એક પશુપાલકને મહત્તમ 10 પશુઓ સુધી આ યોજનાનો લાભ મળી શકશે. પ્રીમિયમની બાકીની રકમ રાજ્ય સરકાર ભરી દેશે.

  • Follow us on: