આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ઉનાળુ મગફળીના ઉભા પાકમાં રોગ તથા જીવાતના અસરકારક નિયંત્રણ માટે આવશ્યક પગલાં લેવા જોઇએ. મોલો જેવા જીવાતોના નિયંત્રણમાં પરભક્ષી કીટકો – દાળીયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જો દાળીયાની વસ્તી વધારે હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો. મોલો-મશી માટે જરૂર જણાય ત્યારે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઈમીડાકલોપ્રિડ ૧૭.૮ એસ.એલ - ૫ મીલી, એસીટામાપ્રિડ - ૨ ગ્રામ અથવા થાયોમેથોક્ષામ ૫ ગ્રામ પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો જોઇએ.
શરૂઆતથી જ હેક્ટરે પાંચ મુજબ ફેરોમોન ટ્રેપ લગાવવી
આ ઉપરાંત સફેદ ઘૈણના નિયંત્રણ માટે ઉભા પાકમાં ક્વીનાલફોસ ૨૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી દવા હેક્ટરે ૪ લીટર મુજબ પિયત સાથે આપવી જોઇએ. લશ્કરી ઈયળના નિયંત્રણ માટે શરૂઆતથી જ હેક્ટરે પાંચ મુજબ ફેરોમોન ટ્રેપ લગાવવી. જીવાત ક્ષમ્યમાત્રાએ પહોંચે કે તરત જ નિયંત્રણ માટે લીંબોળીના મીજનું ૫ ટકા દ્રાવણનો છંટકાવ કરવો. રાસાયણિક નિયંત્રણ માટે ક્વીનાલફોસ ૨૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી દવા ૨૦ મીલી પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો જોઇએ.
