ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં દિવસેને દિવસે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. તેવામાં હવે ખ્યાતિકાંડના ચેરમેન કાર્તિક પટેલની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે. કાર્તિક પટેલ પોતાના અલગ અલગ બિઝનેસ માટે CS રાખ્યો હતો. કાર્તિક પટેલે કંપની સેક્રેટરી વિપિન ચૌધરીને રાખ્યો હતો. CBIl સ્કોર અને અન્ય વ્યવસાયના નાણાં CS દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં ચેરમેન કાર્તિક પટેલની પૂછપરછમાં ખુલાસા થયા છે. કાર્તિકે અલગ-અલગ બિઝનેશ માટે CS રાખ્યો હતો. કંપની સેક્રેટરી વિપિન ચૌધરીને રાખ્યો હતો. CS દ્વારા નાણાંનું મેનેજમેન્ટ કરવામાં આવતું હતું. ખ્યાતિ હોસ્પિટલના નામે વર્ષ 2023માં 22 કરોડ રુપિયાની લોન લીધી હતી. લોનના નાણાં હોસ્પિટલમાં વાપર્યા ન હતા. લોનના નાણાં ક્યાં વાપર્યા તેને લઇ તપાસ હાલ ચાલી રહી છે. ખાત્રજ ફાર્મ હાઉસમાં દર મહિને પાર્ટી થતી હતી, પાર્ટીમાં ડાયરેક્ટર, હોસ્પિટલના ડોક્ટર્સ આવતા હતા. પાર્ટીમાં દારુની વ્યવસ્થા ચિરાગ રાજપૂત કરતો હતો.
ચેરમેન કાર્તિક પટેલની પૂછપરછમાં ખુલાસા
- કાર્તિકે અલગ-અલગ બિઝનેશ માટે CS રાખ્યો હતો
- કંપની સેક્રેટરી વિપિન ચૌધરીને રાખ્યો હતો
- CS દ્વારા નાણાંનું મેનેજમેન્ટ કરવામાં આવતું હતું
- ખ્યાતિ હોસ્પિટલના નામે કરોડોની લોન લીધી હતી
- વર્ષ 2023માં 22 કરોડ રુપિયાની લોન લીધી હતી
- લોનના નાણાં હોસ્પિટલમાં વાપર્યા ન હતા
- લોનના નાણાં ક્યાં વાપર્યા તેને લઇ તપાસ
- ખાત્રજ ફાર્મ હાઉસમાં દર મહિને પાર્ટી થતી હતી
- પાર્ટીમાં ડાયરેક્ટર, હોસ્પિટલના ડોક્ટર્સ આવતા હતા
- પાર્ટીમાં દારુની વ્યવસ્થા ચિરાગ રાજપૂત કરતો હતો
શું હતો મામલો
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો. આખરે ખ્યાતિ હોસ્પિટલનો સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.