અમદાવાદમાં હવે વક્ફ વર્ષિસ મનપાનો વિવાદ સામે આવ્યો છે. મનપા દ્વારા હવે વક્ફ દ્વારા જે જગ્યાઓ પર પોતાનો દાવો કર્યો છે તે તમામ જગ્યાઓને લઈને મનપા દ્વારા 4 સભ્યોની ટિમ બનાવી એ તમામ જગ્યાઓ મનપા પાસે પરત આવે તેના માટે કાનૂની લડાઈ તેજ કરી છે. જેમાં એવી એવી જગ્યાઓનો સમાવેશ થાય છે જેની હાલમાં બજાર કિંમત કરોડો રૂપિયામાં છે આવો જાણીએ આ અહેવાલમાં કે આખરે અત્યાર સુધીમાં તંત્ર શું કામગીરી કરી રહ્યું છે અને કેમ જરૂર પડી તંત્રને આ કામગીરી કરવાની છે.


દ્વારકાની જેમ અમદાવાદમાં પણ થશે ડીમોલેશન !

  • શહેરની કુલ 29 જગ્યાઓ જે હાલમાં છે વક્ફ પાસે
  • તે જગ્યાઓને લઈને વાકફે કર્યો છે મનપા પર દાવો
  • એ તમામ જગ્યા પરત મેળવવા તંત્ર લાગ્યું કામે
  • 4 સભ્યોની બાવવામાં આવી ટીમ
  • શું તમામ જગ્યાઓ મળશે તંત્રને પરત ?

સવાલો અનેક છે પરંતુ હવે મનપા પાસે કાનૂની લડાઈ સિવાય કોઈ ચારો નથી. શહેરની એવી 29 જગ્યાઓ જે છે તો વક્ફ પાસે પરંતુ વક્ફ દ્વારા મનપા પર દાવાઓ કરવામાં આવ્યા છે જે હાલ વક્ફ ટ્રીબ્યુનલમાં ચાલી રહ્યા છે. આમ તો વર્ષોથી આ દાવાઓ કોર્ટમાં ચાલી રહ્યા છે પરંતુ અત્યાર સુધી આ ફાઈલો અધ્ધરતાલ હતી પરંતુ મનપાની લીગલ ટિમ દ્વારા આ દાવાઓ અંગે કાયદાકીય લડત શરૂ કરી છે. હાલ જે વક્ફ અને મનપા ને જે વિવાદ ચાલી રહ્યો છે જેમાં મિર્ઝાપુરની સરકારી શાળાની બાબત હોય કે પછી સરખેજ રોઝાની બાબત હોય કાચની મસ્જિદની જગ્યાનો વિવાદ હોય કે પછી ગોમતીપુર વિસ્તારમાં આવેલા ચાર તોડા કબ્રસ્તાનનો વિવાદ હોય ચાર તોડા કબ્રસ્તાન સાથે જોડાયેલા સ્થાનિક અગ્રણીનું કહેવું છે કે મનપા તો 50 કે 100 વર્ષથી અસ્તિત્વમાં આવ્યું હશે પરંતુ કબ્રસ્તાન તો 300 થી 400 વર્ષ પહેલેથી છે. એક તરફ શહેરમાં જગ્યાઓ ઘટી રહી છે તો આગામી વર્ષોમાં અમે દફનવિધિ ક્યાં કરીશું ?

તો આ તરફ મનપાના સત્તાધીશોનું કહેવું છે કે ચાર તોડા કબ્રસ્તાન ને લઈને મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો એ મામલાને પણ કોર્ટ દ્વારા ડિસમિસ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં પણ કારસ્તાનના નામે જે દબાણો કરવામાં આવ્યા હશે તેને હટાવવામાં આવશે. ગેરકાયદે બિલ્ડીંગો બનાવી દેવામાં આવી છે દબાણો કરવામાં આવ્યા છે તે તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપા સત્તાધીશો એ પણ કહી રહ્યા છે કે પહેલા દબાણો કરવામાં આવે છે બાદમાં કાયદાકીય ગુચ ઉભી કરી દેવામાં આવે છે અને તેના માટે જ હવે એક અલાયદી ટિમ બનાવવામાં આવી છે જેમાં 4 વકીલ રોકવામાં આવ્યા છે જે આ તમામ 29 દાવાઓને રીવ્યુ કરશે જે પણ જગ્યા પર કાયદાકીય ગુચ ઉભી કરાઈ હશે તો તેને દૂર કરી મામલો કોર્ટમાં પૂર્ણ કરવા તરફ કામગીરી કરવામાં આવશે. આ અગાઉ બાપુનગરમાં આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું જેમાં પણ અનેક ગુચ હતું તેને દૂર કરી તત્કાલ તોડવામાં આવ્યા એ બાંધકામ તો જમાલપુર વિસ્તારમાં જ આવેલા સલમાન એવન્યુ મામલે અનેક કાયદાકીય ગુચ ઉભી કરી હતી જેને પણ દૂર કરી એ બાંધકામો તોડવામાં આવ્યા છે

છેલ્લા થોડા સમયની જ જો વાત કરીએ તો...

  • બાપુનગરમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યા
  • કાચની મસ્જિદ સામેનું કોમ્પ્લેક્ષ તોડી પાડવામાં આવ્યું
  • જમાલપુર દરવાજા પાસે કબાડી માર્કેટ ખાલી કરવામાં આવ્યું
  • દરિયાપુરમાં સરકારી શાળામાં કબ્જો દૂર કરી પોલીસ ફરિયાદ કરાઈ છે
  • હવે જમાલપુરમાં રહેલું સેન્ટ્રલ વર્કશોપની જગ્યા પર બંગલો બાંધી દેવાયો છે
  • વાકેફમા ચાલી રહેલી 29 જગ્યાઓને લઈને તાપસ

આ સિવાય પણ હવે મનપાની નજર એ તમામ બાંધકામ પર છે જે ગેરકાયદે ઉભા કરી દેવામાં આવ્યા છે. મૂળ અમદાવાદ એટલે કે કોટ વિસ્તાર કે જે ખુબ ગીચ છે અને તેમાં અનેક બાંધકામ છે જે હેરિટેજ છે તેને શોધી શોધી ક્લિયર કરવા અને ગેરકાયદે બાંધકામ હોય તો તત્કાલ તેની પર બુલડોઝર ફેવવાના મૂડમાં તંત્ર છે.

  • Follow us on: