નહેરુનગર ટાગોર પોલીસ ચોકીની બાજુમાં અજાણ્યા શખ્સે વેપારી બદાજી મોદી પર ફાયરીંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં વેપારીને હોસ્પિટલમાં ખસેડાતા બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ફાયરિંગનો મામલો હત્યામાં ફેરવાયો છે. પરિવારજનોનો હોસ્પિટલની બહાર હોબાળો કર્યો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
ફાયરિંગની ઘટનામાં વેપારીને હોસ્પિટલમાં ખસેડાતા બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના દીકરાએ સંબંધીએ જ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ કર્યો છે અને કહ્યું કે કૌટુંબિક ઝઘડામાં પિતાની હત્યા કરવામાં આવી છે. રમેશ ખેતાજી, અશોક ખેતાજી, પ્રકાશ ખેતાજી અને રણજિત ખેતાજી પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. મૃતકના પરિવારને આશંકા છે કે ખેતરામ મોદીની હત્યાના બદલે હત્યા કરવામાં આવી છે અને અત્યારે મૃતકના પરિવારની માંગ છે કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે. એટલું જ નહીં આરોપીની ધરપકડ ન થવા સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો છે.













