રાજકોટમા નર્સની હત્યાની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા શખ્સ દ્વારા છરીના ઘા ઝિંકીને નર્સની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક 52 વર્ષીય ચૌલાબેન પટેલ મુળ અમદાવાદના વતની છે અને હાલમા રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતાં. આ ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યાં છે. શહેરની અસારવા સિવિલ ખાતે આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.


નર્સ ચૌલાબેન પટેલની હત્યા કરાઈ

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમા યુનિવર્સિટી રોડ ઋષિકેશ સોસાયટીમાં 52 વર્ષિય ચૌલાબહેન પટેલ નામની નર્સની પાડોશમા રહેતા કાનજી વાજાએ ગઈકાલે રાત્રે છરીના ઘા ઝિંકીને હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક નર્સ અગાઉ અમદાવાદની અસારવા સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતાં. આ ઘટનાના વિરોધમાં અસારવા સિવિલ ખાતે નર્સિંગ સ્ટાફે વિરોધ કર્યો હતો.

નર્સિંગ સ્ટાફના આક્ષેપો પાયા વિહોણાઃ શશાંક પંડ્યા

અમદાવાદ સિવિલમા નર્સિંગ સ્ટાફે વિરોધ કરતાં હોસ્પિટલના ડાયરેક્ટર શશાંક પંડ્યાએ કહ્યું હતું કે, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નર્સની હત્યા કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસ ચાલુ છે. નર્સિંગ સ્ટાફના આક્ષેપો પાયા વિહોણા છે. હોસ્પિટલ કે ફરજ પર હત્યા થઈ નથી. નર્સ પોતાના ઘર પાસે હતાં ત્યારે આ ઘટના બની છે. નર્સની હત્યાને લઈ હોસ્પિટલના ડિરેક્ટરે દુઃખ વ્યક્ત કર્યું હતું.


  • Follow us on: