- 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન મેન્ટેનન્સ
- માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે
- યાત્રિકોની સુવિધા માટે તંત્રનો નિર્ણય
અંબાજીના ગબ્બર પર્વત પર ચાર દિવસ સુધી એટલે કે 30 જૂલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપ-વેની સુવિધા બંધ રાખવામાં આવી છે. મેન્ટેનન્સ દરમિયાન ચાર દિવસ સુધી મંદિર ખુલ્લુ રહેશે અને ભક્તો પગથિયા ચઢીને દર્શન કરી શકશે. કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 03/08/24 થી ફરી રાબેતા મુજબ રોપ વે ની સુવિધા શરૂ કરવામાં આવશે.
હજારોની સંખ્યમાં માઈભક્તો કરે છે દર્શન












