• અમદાવાદમાં નાફેડનું આયોજન

  • શહેરમાં 25 રૂપિયે કિલો ડુંગળીનું વિતરણ
  • પ્રજાને રાહતદરે ડુંગળી મળે તે માટે પહેલ

ડુંગળીના ભાવો વધતાં લોકોની થાળીમાંથી ડુંગળી જાણે કે ગાયબ થઈ રહી હતી. આ મામલે સામાન્ય લોકોને પણ તેનો ભાવવધારો અસહ્ય લાગવા માંડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ગરીબોની કસ્તૂરી સમાન ડુંગળીના ભાવમાં વધારો જોવાતા લોકો આ ડુંગળીને ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા હતા. જો કે હવે સરકારે લોકોની આ ચિંતાને દૂર કરી દીધી છે.

હાલમાં મોંઘવારીએ માઝા મુકી છે. શાકભાજી, કઠોળ, ખાદ્યતેલ સહિત દરેક વસ્તુમાં પ્રજાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જેને લઈ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે ગરીબોની થાળીમાં ડુંગળીનો સ્વાદ જળવાય તે માટે સરકાર અને નાફેડ દ્વારા રાહતદરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માટે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ ફરી રહ્યા છે. જેમાં નાગરિકોને સસ્તા ભાવે ડુંગળી સહિત ચણાની દાળ અને ઘઉંના લોટનું રાહતદરે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે સરકારની આ પહેલને ગરીબ અને મધ્યવર્ગના લોકો પણ આવકારી રહ્યા છે.

હકીકતે સરકારે નાફેડ દ્વારા એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં સામાન્ય લોકોને ડુંગળી સસ્તા દરો પર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બજારમાં મોંઘીદાટ વેચતી ખાદ્યસામગ્રી સામે સરકાર રાહત દરે આપી રહી છે. ત્યારે અમદાવાદમાં વિવિધ સ્થળોએ નાફેડનાં બેનર સાથે વાહનોમાં સ્ટોલ લાગ્યા હતા. સરકારની પહેલને લોકોએ પણ આવકારી હતી. રોજબરોજ ઉપયોગમાં લેવાતી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ આસામાને પહોંચી ગયા છે, મોંઘવારીનો માર પણ પ્રજા સહન કરી રહી છે, ત્યારે ગરીબોની થાળીમાં ડુંગળીનો સ્વાદ જળવાય તે માટે સરકાર અને નાફેડ દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ડુંગળીનો ભાવ હાલ બજારમાં 60થી 70 રૂપિયા પ્રતિકિલોએ વેચાય છે જેની સામે નાફેડના બેનર હેઠળ 25 રૂપિયા પ્રતિકિલ્લો વેચવામાં આવી રહી છે.. તેવી જ રીતે 60 રૂપિયે પ્રતિકિલ્લોના દરે ચણાદાળ અને 27.50 રૂપિયાના દરે લોટનું નાફેડ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય જનતા માટે રાહતદરે ડુંગળી સહિતની ખાદ્યસામગ્રી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.


  • Follow us on: