આજે બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ મહોત્સવની ભવ્ય ઉજવણીમાં ભાવનગર જીલ્લાના ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે હજારોની સંખ્યામાં ભાવિક મહેરામણ ઉમટી પડ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બગદાણાધામ ખાતે ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.


બજરંગદાસ બાપાની 48મી પૂણ્યતિથી મહોત્સવની ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બગદાણા પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ બગદાણાના માર્ગો બાપા સીતારામનાં નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ભક્તિમય માહોલ વચ્ચે વહેલી સવારે પાંચ કલાકથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ થયો હતો. પાંચ વાગ્યે મંગળા આરતી`બાદ, ધ્વજ પુજન, આરતી અને ગુરૂ મહિમ પુજન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. તો ગામમાં નીકળેલી બજરંગદાસ બાપાની પાલખી યાત્રામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. 

બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ ગુરુ આશ્રમ બગદાણામાં ધામધૂમથી ઉજવવામાં આવી કરવામાં આવી છે. રંગબેરંગી ફૂલો તેમજ આધુનિક લાઈટથી ગુરુ આશ્રમને શણગારવામાં આવ્યું છે.  સમગ્ર ગોહિલવાડના ગામે ગામ બાપાની નાની મોટી મઢુલી બનાવી ચા પણ બાપાની તિથિ ઉજવવામાં આવી છે.  દેશ-વિદેશ તેમજ અન્ય રાજ્યોમાંથી બાપાના ભાવિકો દર્શન કરવા માટે લાખોની મેદનીમાં પહોંચી આવ્યા હતા. 

બાપા સીતારામના નાદ સાથે વિધિવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ તેમજ એક ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી. પોલીસ હોમગાર્ડના બંદોબસ્ત તેમજ બેન્ડબાજા ડીજે તેમજ જુનાવાજિંત્રો બાપા સીતારામ ની ધૂન માં ભાવિક મગ્ન થઈ શોભાયાત્રામાં ઝૂમી ઉઠ્યા હતા. દૂર દૂરથી આવેલ શ્રદ્ધાળુ માટે આશ્રમ દ્વારા ચા પાણી નાસ્તા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્ણતિથીમાં આવેલ ભાવિ ભક્તો દ્વારા બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

  • Follow us on: