આજ થી દિવાળી વેકેશન પૂરું થતા ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં લાભ પાંચમ ના શુભ મુહૂર્ત થી આજ થી યાર્ડ માં હરરાજી નો પ્રારંભ થયો છે ત્યારે આજ થી યાર્ડમાં ડુંગળી,કપાસ,મગફળી સહિત ની આવક આવવા લાગી છે અને શરૂઆતથી ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, આવાને આવા ભાવો જો મળતા રહેશે તો ખેડૂતોને ફાયદો થાય એમ છે.
લાભ પાંચમ ના દિવસ થી આજ થી માર્કેટિંગ યાર્ડ માં ડુંગળી,મગફળી અને કપાસ અનાજ કઠોળ સહિત ની આવક થવા લાગી છે. આજ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 1000 થી વધુ ગુણી તેમજ કપાસ 3000 મણ અને મગફળી પણ 5000 થી વધુ ગુણી ની આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડ આજ ડુંગળીના ભાવો 400 થી 900 સુધીના બોલાયા હતા અને કપાસ ના ભાવો પણ 1200 થી 1400 અને મગફળી ના ભાવો 1000 થી 1900 ના ભાવો જોવા મળ્યા હતા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં યાર્ડ માં આજ મબલખ આવક થઈ હતી અને સાથોસાથ આ વર્ષે પડેલા વરસાદને કારણે પણ ખેડૂતોને પાક પણ પૂરો મળ્યો હતો એના કારણે ખેડૂતોને આ વર્ષે સારા ભાવો મળવાની આશા ખેડૂતો અને વેપારીએ સેવી હતી.













