અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક રાજ્યના કાયમી ડીજીપી તરીકે પસંદગી પામ્યા બાદ પોલીસ કમિશનર તરીકેનું પદ ખાલી રહ્યું હતું. હવે શહેરના નવા પોલીસ કમિશનર તરીકે 1997ની બેંચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે.ગૃહવિભાગે અમદાવાદ પોલીસ કમિશ્રરની એક્સ કેડર પોસ્ટને ડીજીપી ગ્રેડમાંથી ડાઉન ગ્રેડ કરીને એડીજીપીની કરવા માટે મોટો નિર્ણય લીધો છે. 

અનુપમસિંહ ગેહલોત 1997ની બેંચના આઈપીએસ ઓફિસર છે
[[$googlead]]

IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત 1997ની બેચના અધિકારી છે. તેઓ ભાવનગરમાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ પર રહ્યા પછી તેમની બદલી પાટણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની વડોદરાના રેન્જ આઈજી તરીકે બદલી કરાઈ હતી. વડોદરા બાદ તેમને રાજકોટના પોલીસ કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતાં. તેઓ વડોદરાના પણ પોલીસ કમિશનર રહ્યા હતાં. તેમની આઈબીમાં પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આઈબીમાંથી તેમને ફરીવાર વડોદરાના કમિશનર તરીકે નિયુક્ત કરાયા હતાં. વડોદરા બાદ રાજ્ય સરકારે તેમને સુરતના પોલીસ કમિશનર તરીકે નિમ્યા હતાં. અમદાવાદના નવા પોલીસ કમિશનર બનેલા અનુપમસિંહ ગેહલોત મુળ ઉત્તર પ્રદેશના વતની છે. તેમણે B.E અને M.TECHનો અભ્યાસ કર્યો છે. 

રથયાત્રાને લઈને ટૂંકાગાળામાં નિયુક્તિ કરાઈ

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક રાજ્યના ડીજીપી બન્યા બાદ શહેરના પોલીસ કમિશનર તરીકેની જગ્યા ખાલી હતી. આ જગ્યા પર જી.એસ.મલિકને ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો હતો. જો કે, રથયાત્રાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અમદાવાદના પોલીસ કમિશ્નરની ટૂંકાગાળામાં નિયુક્તિ કરી હોવાનું જાણવા મળ્યું છે. અનુપમસિંહ ગેહલોત ગુજરાતના મોટા શહેરોમાં પણ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેમના અનુભવને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

આ પણ વાંચોઃ Kachchh News: અંજારમાં કાર અથડાતા નર્મદાનો એરવાલ્વ તૂટ્યો, પાણીના ફૂવારા હાઈટેન્શન લાઈન સુધી ઉછળ્યા, જુઓ Video

  • Follow us on: