કચ્છના અંજાર બાયપાસ નજીક રિવેરા ફાર્મ પાસે આજે નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં સર્જાયેલી એક અકસ્માતની ઘટનાને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડની બાજુમાં આવેલા નર્મદા પાઈપલાઈનના એરવાલ્વ સાથે ભટકાઈ હતી.આ જોરદાર ટક્કરને કારણે એરવાલ્વ તૂટી ગયો હતો. જેના લીધે તેમાંથી પાણીના ફુવારા આસમાનને આંબી રહ્યા હતા.
https://www.instagram.com/reel/DaQRjwZil4w/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D
