- સુરેન્દ્રનગરમાં યાત્રા રોકી ટી-શર્ટ વિતરણ મુદ્દે ફરિયાદ
- 5 સામે નામજોગ અને અન્ય શખ્સો સામે ગુનો નોંધાયો
- યાત્રા રોકી ટી -શર્ટ મુદ્દે ઠપકો આપતા પોલીસ ફરિયાદ
સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રામાં વીર સાવરકરની ટી-શર્ટને લઇ વિવાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગરમાં યાત્રા રોકી ટી-શર્ટ વિતરણ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. 5 લોકો સામે નામજોગ અને અન્ય શખ્સો સામે ગુનો નોંધાયો છે. યાત્રા રોકી ટી - શર્ટ મુદ્દે ઠપકો આપતા પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં રૂત્વિક મકવાણા, લાલજી દેસાઇ સામે પોલીસ ફરિયાદ થઇ છે.
ક્રાંતીકારી સ્વતંત્ર સેનાનીઓનું અપમાન કરી શિક્ષકો સામે ગેરવર્તન કરાયું
રાઘવજી મેટાળીયા, ગોપાલ ટોળીયા તથા હરેશ ઝાપડીયા સહિત અન્ય સામે પોલીસ ફરિયાદ થઇ છે. કોંગ્રેસ દ્વારા ચોટીલાના સાંગાણી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓની તિરંગા યાત્રા રોકી ટી-શર્ટ બાબતે ઠપકો આપતાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. લાલજીભાઈ દેસાઇ, રૂત્વિકભાઇ મકવાણા, રાઘવજીભાઇ મેટાળીયા, ગોપાલભાઇ ટોળીયા, હરેશભાઇ ઝાપડીયા સહિત અન્ય શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. નાના બાળકોના માનસ પર ખોટી અસર કરી ક્રાંતીકારી સ્વતંત્ર સેનાનીઓનું અપમાન કરી શિક્ષકો સામે ગેરવર્તન કરાયું છે.
ટી-શર્ટ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવી હતી
197 સી ડી 126/2 189/2 352.353/2 221ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાલજીભાઈ દેસાઇએ કહ્યું સાવરકર ગાંધીજીના હત્યાના ષડયંત્રમા સામેલ હતા. હું કાલે નથુરામ ગોડસે અને દાઉદના ટીશર્ટ આપીશ તમે બાળકોને પહેરાવશો. આઝાદીને તમે બધા બદનામ કરો છો. આમ કરીને વિદ્યાથી અને શિક્ષકો સાથે ગેરવર્તણૂક કરાઇ છે. આ તમામ ટી-શર્ટ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવી હતી.