ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે રહેતો યુવાન છત્તીસગઢ ખાતે સીઆરપીએફમાં 11 વર્ષ પહેલા જોડાનારા ભરતસિંહ રણજીતસિંહ બિહોલા નામનો 30 વર્ષીય યુવક ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થતા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આજે શહીદ જવાનનો મૃતદેહ છત્તીસગઢથી વાયા રાયપુર થઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.
સ્મશાન ગૃહને તિરંગા અને પુષ્પોથી શણગારવામાં આવ્યું













