ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
હાલમાં, ડૉ. સિંહની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. તબીબોની વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ.મનમોહન સિંહ 91 વર્ષના છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.













