• ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે આંદોલનની કરી જાહેરાત
  • શિક્ષક સંઘ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે કરાશે ઉપવાસ
  • શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મુખ્ય શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવા કરી અપીલ

ગુજરાતમાં ઘણા સમયથી શિક્ષકોનો વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે આંદોલનનું એલાન કર્યુ છે. મળતી માહિતી અનુસાર HTATના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં આવી ગઈ છે.મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવતા સરકાર એક્શન મોડમાં આવી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્ટીટ કર્યુ છે.

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્ટીટ આંદોલન મોકૂક રાખવા કરી અપીલ

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્ટીટ કરી મુખ્ય શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવા માટે અપીલ કરી છે. વધુમાં શિક્ષણ મંત્રી કહ્યું કે, બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. ટૂંક સમયમાં નિયમો જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, HTATના મુખ્ય શિક્ષકોને આંદોલન કરવાની જાહેરાત કરી હતી. જે બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે.

શિક્ષક સંઘે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી

રાજય મુખ્ય શિક્ષક સંઘ સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષક સંઘે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. આ સાથે HTATના નિયમોની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેથી સરકાર પણ સત્વરે એક્શન મોડમાં આવી ગઈ છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આંદોલન મુદ્દે ટ્વીટ કરીને શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી છે. 

  • Follow us on: