• જીએસટી અધિકારીઓની ટીમોનું સર્ચિંગ

  • ટેક્સ કોમ્પલાઈનને લઈને કરાયું ઓપરેશન
  • સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવતા વેપારીઓમાં ફફડાટ

અમદાવાદ શહેરમાં 38 પ્રીમિયમ હોટેલો પર સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહીં આ કાર્યવાહીમાં ટર્નઓવર અને ભરેલા વેરા અંગે ખરાઇ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદ શહેરની પ્રીમિયમ હોટેલો પર ટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરની 38 પ્રીમિયમ હોટેલમાં પર સ્ટેટ GSTની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. હોટેલો દ્વારા દર્શાવેલા GST ટર્ન ઓવર સામે જમાં કરેલી વેરા અગે ચકાસણી હાથ ધરાઇ હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન કંઈ વાંધાજનક મળ્યું કે કેમ? તે મામલે હજુ જીએસટી કચેરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ આગામી સમયમાં આ મામલે કચેરી તરફથી સત્તાવાર રીતે વિગતો સામે આવી શકે છે. મહત્વનું છે કે આ પહેલા પણ જીએસટી વિભાગની ટીમો દ્વારા અનેકવાર શહેરમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી ચૂકી છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદની 38 પ્રીમિયમ હોટલ પર નરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતેની કેટલીક પ્રીમીયમ હોટેલ્સમાં સ્ટેટ GST દ્વારા ચકાસણી હાથ ધરાતાં કસુરવારોમાં ફફડાટ ફેલાયો હતો. નોંધનીય છે કે સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેકટરોમાં ચાલતી પ્રવર્તમાન ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે ટેક્ષપેયરો દ્વારા જેતે સેકટરમાં કરવામાં આવતા ટેક્ષ કોમ્પલાઇનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. આ કાર્યવાહીના ભાગ રૂપે અમદાવાદ ખાતેની ૩૮ પ્રીમીયમ હોટેલ્સમાં દર્શાવેલ ટર્નઓવર અને વેરાકીય જવાબદારીની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ખાસ કરીને હાલના દિવસોમાં જે રીતે જીએસટી વિભાગ એક્શનમાં આવી ગયું છે તેને જોઈને ઘણાં વેપારીઓ અને મોટા કસબીઓમાં ફફડાટ ફેલાયો છે. જીએસટી અધિકારીઓના દરોડા અને ચેકિંગની કાર્યવાહીથી બચવા માટે અનેક પેંતરા કરવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ ટેક્સ અધિકારીઓની સતર્કતાના કારણે ઘણીવાર મોટા કૌભાંડના પર્દાફાશ થઈ શક્યા છે.


  • Follow us on: