- કથાકાર રાજુગીરીબાપુની ટિપ્પણીનો વિવાદ વકર્યો
- કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ એક્શનમાં
- પોલીસે ટિપ્પણી કરનાર રાજુગીરીબાપુની કરી અટકાયત
કથાકાર રાજુગીરીબાપુની ટિપ્પણીનો વિવાદ વકર્યો છે. જેમાં કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ એક્શનમાં આવી છે. તેમાં પોલીસે ટિપ્પણી કરનાર રાજુગીરીબાપુની અટકાયત કરી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં બાપુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં વિવાદિત નિવેદનના પગલે કથા પણ વહેલી સમેટી લેવાઈ છે.
સાવરકુંડલાના રાજુગીરીબાપુએ વિરોધ બાદ માફી માગી
સાવરકુંડલાના રાજુગીરીબાપુએ વિરોધ બાદ માફી માગી છે. જેમાં કોળી ઠાકોર સમાજ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. પ્રેમલગ્ન મુદ્દે વાત કરતા કોળી સમાજ વિશે ટિપ્પણી કરી હતી. વિવાદાસ્પદ નિવેદનથી કોળી ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો હતો. જેમાં વિરોધ બાદ રાજુગીરીબાપુએ કોળી ઠાકોર સમાજની માફી માગી છે. તેમજ જણાવ્યું છે કે વ્યાસપીઠ પરથી કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ઇરાદો ન હતો. આ જ સમાજના બાળકો મારી આશ્રમશાળામાં ભણે છે. એ બધા બાળકો મારા બાળકોની સમાન છે. મારાથી ભૂલ થઈ છે હું સમાજ આગળ ક્ષમા માગુ છું. એક સાધુનો દીકરો કોળી ઠાકોર સમાજની માફી માગે છે.
કોળી સમાજના ઉગ્ર વિરોધના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યુ
કથાકારનો વ્યાસ પીઠ પરથી અભદ્ર વાણી વિલાસના મામલે કોળી સમાજના ઉગ્ર વિરોધના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. વાણી વિલાસ કરનાર રાજુગીરીબાપુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેમજ વિવાદિત નિવેદનના પગલે કથા પણ વહેલી સમેટી લેવાઈ હતી. તેમજ પોલીસે કથાકાર વિરુદ્ધ IPC 154(A),(1),(A) મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે.