આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારે વર્ષ 2026-27ના બજેટમાં સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વર્ગને સશક્ત બનાવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂપિયા 7,086 કરોડની માતબર જોગવાઈ કરી છે. આ બજેટમાં વિદ્યાર્થીઓના શિક્ષણ, દિવ્યાંગોની સુવિધા અને ગરીબ પરિવારોના આવાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.


શિક્ષણ અને શિષ્યવૃત્તિ પર વિશેષ ભાર

રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ અવરોધ વિના પૂર્ણ કરી શકે તે માટે સરકારે તિજોરી ખોલી છે.

  • પીએમ યશસ્વી યોજના: અંદાજે 9.75 લાખ વિદ્યાર્થીઓ માટે રૂપિયા 630 કરોડની જોગવાઈ
  • ગણવેશ અને શિષ્યવૃત્તિ: પ્રાથમિક શાળાના 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ અને સહાય માટે રૂપિયા 617 કરોડની જોગવાઈ
  • વિદેશ અભ્યાસ લોન: ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને 4 ટકાના રાહત દરે રૂપિયા 15 લાખ સુધીની લોન આપવા રૂપિયા 135 કરોડની જોગવાઈ
  • સરસ્વતી સાધના યોજના: ધોરણ-9માં અભ્યાસ કરતી 1.59 લાખ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા રૂપિયા 73 કરોડની જોગવાઈ

દિવ્યાંગો અને નિરાધાર બાળકોની સુરક્ષા

સમાજમાં શારીરિક અને માનસિક રીતે અસમર્થ વ્યક્તિઓ માટે પણ બજેટમાં મહત્વના નિર્ણયો લેવાયા છે.

  • સંત સુરદાસ યોજના: દિવ્યાંગોની આર્થિક સહાય માટે રૂપિયા 249 કરોડની જોગવાઈ
  • સાધન સહાય: દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર માટે રૂપિયા 60 કરોડની જોગવાઈ
  • પાલક માતા-પિતા યોજના: નિરાધાર બાળકોના પાલનપોષણ માટે રૂપિયા 83 કરોડની જોગવાઈ
  • ડે-કેર સેન્ટર: બૌદ્ધિક અસમર્થતા અને ઓટીઝમ ધરાવતા બાળકો માટે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા રૂપિયા 6 કરોડની જોગવાઈ

સ્વરોજગાર અને આવાસ યોજના

નિગમો દ્વારા લોન: અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 19 હજાર લાભાર્થીઓને સ્વરોજગાર અને શિક્ષણ લોન માટે રૂપિયા 793 કરોડની જોગવાઈ

  • આવાસ સહાય: આર્થિક પછાત અને વિચરતી જાતિના 24 હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે રૂપિયા 375 કરોડની જોગવાઈ
  • નશામુક્તિ: રાજ્યના 34 જિલ્લાઓમાં નશામુક્તિ કેન્દ્રો સ્થાપવા રૂપિયા 15 કરોડની ફાળવણી કરવામાં આવી છે


આ પણ વાંચો - Gujarat Agriculture Budget 2026: ખેડૂતો અને પશુપાલકો માટે સહાયનો ધોધ, કૃષિ સેક્ટર માટે શું કરવામાં આવી જોગવાઈ?


  • Follow us on: