ગુજરાતમાં એશિયાટીક સિંહની વસતી ગણતરી હાથ ધરવામાં આવનાર છે. આગામી 10મી મેના રોજ યોજાનારી સિંહની વસતી ગણતરીની તમામ તૈયારીઓને વન વિભાગ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 11 જિલ્લામાં 35 હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં બે તબક્કામાં સિંહની વસતી ગણતરી હાથ ધરાશે. આ વર્ષે એ આઈ ટેકનોલોજી ની મદદ થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.
દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી હાથ ધરાય છે













