જામ ખંભાળીયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે. ગુજકોમાસોલે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી છે. ભીંડા સહકારી સેવા મંડળીએ 83 દિવસ મગફળી ખરીદી કરવામાં આવી હતી. 10,298 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઇ હતી. નાફેડે 3.63 કરોડ કિલો મગફળીની ખરીદી કરી છે. સમગ્ર પંથકમાં 99.91% ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઇ છે.


દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાંગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી બંધ કરાઇ છે. ભીંડા સહકારી સેવા મંડળી દ્વારા સુકી ખેતી કેન્દ્ર ખાતે 83 દિવસ મગફળીની ખરીદી કરાઇ હતી. ટેકાના ભાવે મગફળી વેંચવા 10,307, ખેડૂતોનુ રજીસ્ટ્રેશન થતા મેસેજ દ્વારા બોલાવાયા હતા. ટેકામાં મગફળીના સારા ભાવ મળતા 10298 ખેડૂતોએ મગફળી વહેંચી છે. 3, કરોડ 63,લાખ 14 હજાર 215‌ કિલોગ્રામ મગફળીની નાફેડ દ્વારા ખરીદી કરાઇ છે. જામ ખંભાળીયા પંથકમાં 99,91% ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઇ છે.

ખંભાળીયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર દેકારો થયા પછી અન્ય શહેરોમાં ચાલુ થયાના આઠ-દશ દિવસ પછી શરૂ થયું હતું. પણ આ કેન્દ્રમાં ભીંડા સેવા સહકારી મંડળી દ્વારા ખાસ આયોજન હાથ ધરીને ખંભાળીયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાયેલા ખેડૂતોને રોજ 150/200ને મેસેજ મોકલીને ગણતરીના દિવસમાં 3, કરોડ 63,લાખ 14 હજાર 215‌ કિલોગ્રામ મગફળીની ખરીદી નાફેડ દ્વારા ખરીદી કરાઇ છે. 

  • Follow us on: