• સુરત સ્ટેશન ખાતે હોળીના સમયે મુસાફરોનો જબરજસ્ત ઘસારો જોવા મળી રહ્યો છે
  • હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે
  • સુરતથી માદરે વતન જવા મુસાફરોની ભારે ભીડ 

સુરતએ મીની ભારત તરીકે જાણીતું છે. અહીં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે. અને વાર તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે. આગામી સમયમાં હોળી ધૂળેટીનો પર્વ હોવાથી અન્ય રાજ્યોથી સુરત આવેલા પરિવારો હોળીના સમય દરમિયાન પોતાના વતને જાય છે.પરંતુ અન્ય લોકો પણ મથુરા અને વૃંદાવનની હોળી જોવા માટે હોળીના તહેવાર દરમિયાન જતા હોય છે. પરિણામે સુરત રેલ્વે સ્ટેશન ઉપર હોળીના સમય દરમિયાન હાલ થોડા દિવસોથી સતત મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે.


ટિકીટ નહી મળતા હાલાકી

પરંતુ આ સમયે તેઓને ટ્રેનની ટિકિટ નહીં મળવાના કારણે ખૂબ જ હાલાકી થતી હોય છે, તેઓ જનરલ કોચમાં જવા માટે મજબૂર થઈ જતા હોય છે અને જનરલ કોર્ટમાં બેસવા માટે પણ તેઓ 16 થી 24 કલાક ફોર્મ પર આવીને લાઈન લગાવીને બેસે છે. હોળીના પર્વ સિવાય આ સમયે અન્ય કારણોસર પોતાના વતન લોકોને પણ ભારે ભીડ હોવાના કારણે હાલાકી થતી હોય છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન બહાર પણ ટ્રાફિક સહિતની સમસ્યાઓ ન સર્જાય તે માટે પોલીસ પણ સતત કામગીરી કરી રહી છે.

  • Follow us on: