- 20 નવેમ્બરે સવારે 10 વાગ્યે ભાવનાનું મોત થયું
- સંબંધીઓના માધ્યમથી જાણ થઈ: મૃતકના પરિજન
- દોઢ વર્ષ પહેલા સંતાન ન થતા ઝેર પીવડાવ્યાનો આક્ષેપ
દહેજના કારણે સાસરિયાઓ પર ગંભીર આરોપ લાગી રહ્યો છે. જેમાં પિયર પક્ષને મોતની જાણ ન કર્યાનો આક્ષેપ લાગ્યો છે. સુરતમાં 21 વર્ષની પરિણીતાના મોતને લઈને ભારે હોબાળો મચી ગયો છે. પરિણીતાના પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, દહેજના કારણે સાસરિયાઓ પર 21 વર્ષની પરણીતાની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, ભાવના કુમાવતના લગ્ન 3 વર્ષ પહેલાં ગણદેવીના અશોક કુમાવત સાથે લગ્ન થયા હતા. 20 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ભાવનાનું મોત થયું હતું. સાસરિયાઓએ પરિણીતાના પરિવારને મોતની જાણ પણ ન કરી હોવાનું પરિવારજનોએ જણાવતા ઉમેર્યું કે, સંબંધીઓના માધ્યમથી દીકરીના માતા-પિતાને આ બાબતે જાણ થઈ હતી.













