રાજ્યના આર્થિકરીતે સૌથી સમૃદ્ધ ગણાતા સુરત શહેરના એરપોર્ટ પરના પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 મહિનામાં 13.39 લાખથી વધુ પેસેન્જરોએ સુરત એરપોર્ટ પરથી અવરજવર કરી છે. 


ઓકટોબર 2024માં સૌથી વધુ 1.36 લાખ મુસાફરો નોંધાયા હતા. નવી ફ્લાઈસ શરૂ કરાતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. સુરતમાં હીરા ઉદ્યાગ અને કાપડ સહિતના ઉદ્યોગોને લીધે બહારના વેપારીઓ પણ ખરીદી માટે ફ્લાઈટ્સ દ્વારા આવન-જાવન કરતા હોય છે. ઉપરાંત શહેરના લોકો પણ અન્ય રાજ્યોમાં ફરવા જવા માટે ફ્લાઈટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા 10 મહિનામાં 13.39 લાખથી વધુ પેસેન્જરોએ સુરત એરપોર્ટ પરથી અવરજવર કરી છે. 

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, સુરત એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2024 કેલેન્ડર વર્ષના આંકડા સામે આવ્યા છે. જેમાં ઓકટોબરમાં 1.36 લાખ મુસાફરોએ અવરજવર કરી છે. જ્યારે છેલ્લા 10 મહિનામાં 13.39 લાખ પેસેન્જર ટ્રાફિક નોંધાયો છે. 10 મહિનામાં 911 ઈન્ટરનેશનલ ફ્લાઈટની મૂવમેન્ટ રહી છે. 13,094 ડોમેસ્ટિક ફ્લાઈટની મૂવમેન્ટ નોંધાઈ છે.

  • Follow us on: