જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની અસર અમરનાથ યાત્રા પર દેખાઈ રહી છે. આ હુમલાથી લોકોમાં ડર ફેલાયો છે. અમરનાથ યાત્રા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે લોકોમાં રસ ઓછો દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટેના ફિટનેસ સર્ટીફિકેટ માટે પાંખી હાજરી જોવા મળી હતી. આતંકી હુમલાને પગલે યાત્રામા જનારા લોકોમાં ડર જોવા મળ્યો છે.


બે કે ત્રણ યાત્રિકો જ ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આવે છે

પ્રાપ્ત વિગતો પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી છે.અમરનાથ જનારા યાત્રિકોમાં આતંકી હુમલાનો ડર જોવા મળ્યો છે. આ યાત્રા માટે યાત્રિકો સોલા સિવિલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આવતા હોય છે. મેડિકલ ચેકઅપ બાદ ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આવતા યાત્રિકોની પાંખી હાજરી જોવા મળી છે. છેલ્લા બે દિવસથી બે કે ત્રણ યાત્રિકો જ ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આવે છે.

અત્યાર સુધીમાં 174 યાત્રિકોને ફિટનેસ સર્ટી અપાયા

અમરનાથ યાત્રા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે અમદાવાદની સોલા સિવિલમાં મેડિકલ ચેકઅપ માટે રોજના 40થી 50 કેસ આવતા હતાં. પહેલી એપ્રિલથી સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રિકો માટે મેડિકલ ચેકઅપ અને ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 174 યાત્રિકોને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં છે. અમરનાથ યાત્રાનો એક રૂટ પહલગામ થઈને જવાનો હોવાથી યાત્રિકોમાં આતંકી હુમલાનો ડર ફેલાયો છે.


  • Follow us on: