જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત તંત્રને કયા જિલ્લાના કેટલા પ્રવાસીઓ કાશ્મીરમાં છે તેની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના 173 પ્રવાસીઓ હાલ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે. આ તમામ નાગરિકો સુરક્ષિત હોવાની વિગતો તંત્રને મળી છે. જ્યારે વડોદરાના 23 પ્રવાસીઓ આવતીકાલે સ્વરાજ એક્સપ્રેસ દ્વારા પરત આવવા રવાના થશે.
ગાંધીનગર જિલ્લાના 173 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા












