જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હૂમલો થયા બાદ અનેક પ્રવાસીઓ ફસાયા છે. પહેલગામમાં ગુજરાતના 25 પ્રવાસીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે. જેમાં એક ઈજાગ્રસ્ત પ્રવાસીને GMC અનંતનાગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જમ્મુ કાશ્મીરના વહિવટી તંત્ર અને પોલીસ સાથે સરકાર સતત સંપર્કમાં છે.આજે આ પ્રવાસીઓને હવાઈ માર્ગે મુંબઈ અને ત્યાંથી ગુજરાત લાવવામાં આવશે.


17 પ્રવાસીઓ સનરાઈઝ ડીલાઈટ હોટલમાં સલામત

પ્રાપ્ત વિગતો પ્રમાણે પહેલગામમાં ગુજરાતના 25 પ્રવાસીઓ સુરક્ષિત છે. એક વિનોદભાઈ ડાભી નામના પ્રવાસી ઈજાગ્રસ્ત હોવાથી તેમને જીએમસી અનંતનાગ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. પહેલગામમાં અંદાજીત ૨૫ ગુજરાતી પ્રવાસી હોવાની વહીવટી તંત્રએ વિગતો મેળવી છે. જમ્મુ કાશ્મીર ના વહીવટી તંત્ર, પોલીસ અને હોસ્પિટલ સાથે સંપર્ક કરાયો છે. 17 પ્રવાસીઓ સનરાઈઝ ડીલાઈટ હોટલમાં સલામત હોવાનું વહિવટી તંત્રને જાણવા મળ્યું છે.

પ્રવાસીઓને મુંબઈ થઈને ગુજરાત લવાશે

આતંકી હૂમલામાં મૃત્યુ પામેલા ગુજરાતીઓના નશ્વર દેહને હવાઈ માર્ગે મુંબઈ અને ત્યાંથી અમદાવાદ લવાશે. સુરતના મૃતક પ્રવાસીના નશ્વર દેહ તથા તેમના અન્ય છ સંબંધીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત લાવવામાં આવશે. તે ઉપરાંત ભાવનગરના પિતા અને પુત્રના નશ્વર દેહને પણ હવાઈ માર્ગે વતન પરત લવાશે. તેમને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે અને ત્યાંથી ભાવનગર લઈ જવાશે. પ્રવાસીઓને ફ્લાઈટથી મુંબઈ અને ત્યાંથી ગુજરાત લાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે.

  • Follow us on: