જામનગરનાં જામ સાહેબ શત્રુશલ્યસિંહજીની તબિયત વધુ નાદુરસ્ત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જામ શત્રુશલ્યસિંહજી છેલ્લા ઘણા સમયથી બીમાર છે. તબીબોએ જામ સાહેબની તબિયત અતિગંભીર હોવાનું જણાવ્યું છે. જામ સાહેબે પોતાનાં શુભચિંતકોને સંદેશ પાઠવ્યો છે કે તેઓ રૂબરૂ મળવા ન આવે અને ફોન કોલ્સ પણ નહીં કરવા સંદેશમાં અપીલ કરી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જામ સાહેબે વારસ તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની પસંદગી કરી હતી.
જામનગરના જામસાહેબે શુભેચ્છકોને મળી શકશે નહીં તેવો સંદેશો શુભ ચિંતકોને આપ્યો છે. તબિયત નાદુરસ્ત હોવાના કારણે તબીબે આરામ કરવાની સલાહ આપતા જામ સાહેબે સંદેશો આપ્યો છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાની તબિયત નાદુરસ્ત હોવાથી શુભેચ્છકોને રૂબરૂ કે ફોન પર જવાબ આપી શકશે નહીં. જામસાહેબે પોતાના શુભેચ્છકોને અપીલ કરતા કહ્યું છે કે, તેઓની તબિયત સારી થતા તેઓ ફરી લોકોને મળતા રહેશે તેમ તેઓ દ્વારા પત્ર માં જણાવવામાં આવ્યું છે.














