જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં ચાર દિવસ પહેલા બનેલા અકસ્માતમાં PGVCLના કર્મચારી નું વિજ શોકથી મૃત્યુ નિપજતા તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાવર શરૂ કરી દેતા રિટર્ન પાવર આવવાથી કર્મચારીનું મોત થયા હોવાનું બહાર આવ્યું છે.


જુનાગઢ જિલ્લાના વિસાવદર ના ચાપરડા ગામે ચાર દિવસ પહેલા ચાપરડા ગામે રહેતા અમૃતભાઈ રવજીભાઈ ચૌહાણની વાડીમાં વીજ કનેક્શનમાં થયો હતો જેને કારણે તેને ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે PGVCLના કર્મચારી નરેશ ઉષાર ફોલ્ટ રીપેર કરવા માટે પીજીવીસીએલના સબ સ્ટેશન ઉપર ચડીને રીપેરીંગ કામ કરતા હતા ત્યારે કોઈએ પાવર શરૂ કરી દીધો હતો અને રિટર્ન પાવર આવવાથી કામ કરી રહેલા નરેશ મૂછાલનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

કર્મચારીનું વીજ કરંટથી મોત થતા PGVCLના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં બહાર આવ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પાવર સપ્લાય શરૂ કરી દેવામાં આવ્યો હતો, જેને કારણે જ PGVCLના કર્મચારીનું મૃત્યુ થયું છે. હજુ વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આરોપીને પકડીને તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • Follow us on: