સાપુતારા નજીક આજે સાંજે ભૂકંપનો આંચકો નોંધાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ છે. આંચકો સાંજે 7:10 કલાકે આવ્યો હતો.

સાપુતારાથી 13 કિમી દૂર કેન્દ્રબિંદુ

ભૂકંપનું કેન્દ્ર સાપુતારાથી આશરે 13 કિમી દૂર નોંધાયું છે. આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.

લોકોમાં હલચલ

ભૂકંપના આંચકાના સમાચાર સામે આવતા સાપુતારા અને આસપાસના વિસ્તારમાં લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. હાલ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાની માહિતી સામે આવી નથી. 


આ પણ વાંચો    :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત