બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા અંતર્ગત આવતા લવાણા ગામે ગોગા મહારાજના મંદિરમાં થોડા દિવસો પૂર્વે તસ્કરોએ ત્રાટકીને ભગવાનના ચાંદીના આભૂષણો અને છત્તરની ચોરી આચરી હતી. ધાર્મિક સ્થાનકમાં ચોરીની ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.
મંદિરમાં આભૂષણો અને છત્તરની ચોરી
આ સંવેદનશીલ ગુનાનો ઉકેલ લાવવા બનાસકાંઠા LCB ની ટીમે ખાસ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન LCB ના અધિકારીઓએ મંદિર અને આસપાસના તેમજ હાઇવે પરના આશરે 200 જેટલા CCTV કેમેરાના ફુટેજ બારીકાઈથી ચકાસ્યા હતા, જેના આધારે શંકાસ્પદ વાહન અને આરોપીઓનું સુરાગ મળ્યું હતું.મળેલી ચોક્કસ બાતમી અને સર્વેલન્સના આધારે LCB ની ટીમે કુવાણા ગામની સીમમાં નાકાબંધી અને વાહન ચેકિંગ ગોઠવ્યું હતું. આ દરમિયાન પસાર થઈ રહેલા શકમંદોને રોકી તપાસ કરતાં તેમની પાસેથી ચોરી કરાયેલા ચાંદીના છત્તર અને મુગટ સહિત રૂ. 2,34,000 (બે લાખ ચોત્રીસ હજાર) નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
