બનાસકાંઠા જિલ્લા તેમજ વાવ અને થરાદ પંથકમાં આવેલા IRM એનર્જી કંપની દ્વારા સંચાલિત CNG પંપ સંચાલકોએ આકરો નિર્ણય લીધો છે. કમિશનમાં વધારો કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને પંપ સંચાલકો અને કંપની વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા સંચાલકોએ 14 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાની જાહેરાત કરી છે.
કુલ 65 CNG પંપો રહેશે બંધ
આ હડતાલના કારણે બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં આવેલા IRM કંપનીના સંચાલન હેઠળના અંદાજે 65 જેટલા CNG પંપો પર વેચાણ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે. પંપ સંચાલકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી કંપની દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી પંપો અનિશ્ચિત મુદ્દત માટે બંધ રાખવામાં આવશે.

