સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને વાદળો વિખેરાઈ ગયા છે, પરંતુ સ્થાનિક પ્રજાની આફતનો અંત આવ્યો નથી. ધ્રાંગધ્રા તાલુકાના ઐતિહાસિક પાંચ ગામોને જોડતા મુખ્ય માર્ગ પર આવેલો જેગડવા રેલ્વે અંડરબ્રિજ સંપૂર્ણપણે તળાવમાં ફેરવાઈ ગયો છે.
ધ્રાંગધ્રા પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો
વરસાદ બંધ થયાને 24 કલાકથી વધુ સમય વિતી જવા છતાં અંડરબ્રિજમાં અંદાજે 10 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. આ અંડરબ્રિજ પરથી દરરોજ હજારો ગ્રામજનો અને દૂધ-શાકભાજીના વાહનો પસાર થાય છે, પરંતુ 10 ફૂટ પાણી ભરાઈ જવાને કારણે જેગડવા, રામગઢ, હામપર અને મેથાણ ગામનો સંપર્ક માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. વાહનો તો દૂર, પદયાત્રીઓ માટે પણ આ રસ્તો પસાર કરવો અશક્ય બન્યો છે.
