ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા મોડી રાત્રે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ બોલાવેલા બુલડોઝરથી સોમનાથ મંદિર નજીકના ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ચાર દુકાનો,રહેણાક મકાન,ધાર્મિક સ્થળનું ડિમોલિશન
મળતી વિગતો અનુસાર, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે કલેક્ટર તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ કામગીરી દરમિયાન મસ્જિદ સહિત ચાર દુકાનો, એક રહેણાંક મકાન અને ધાર્મિક સ્થાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
