પાટણ જિલ્લાના હારીજ પંથકમાંથી એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. કુરેજા ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે આશાસ્પદ યુવકોના પાણીના ઊંડા અને ઝડપી પ્રવાહમાં તણાઈ જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર હારીજ પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
રિક્ષા કેનાલના કિનારે પાર્ક કરીને કેનાલમાં ન્હાવા માટે પડ્યા
મળતી માહિતી મુજબ, બંને યુવકો પોતાની રિક્ષા કેનાલના કિનારે પાર્ક કરીને કેનાલમાં ન્હાવા માટે પડ્યા હતા. તે દરમિયાન એક યુવાન પાણીના ઊંડા પ્રવાહમાં ગરકાવ થવા લાગ્યો હતો. મિત્રને ડૂબતો જોઈ તેને બચાવવા માટે બીજો મિત્ર પણ પાણીમાં કૂદી પડ્યો હતો, પરંતુ કમનસીબે પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તેને બચાવવા ગયેલો બીજો મિત્ર પણ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
