જૂનાગઢના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બનેલા કેસમાં આજે ગણેશ જાડેજા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજુ સોલંકીના પુત્રને માર મારવા અને હુમલો કરવા અંગે ગણેશ જાડેજા સામે નોંધાયેલા ગંભીર કેસમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો મોટો નિર્ણય

આ કેસની વિગત મુજબ, ભૂતકાળમાં રાજુ સોલંકીના પુત્ર સાથે થયેલી અથડામણ અને મારપીટના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ આ મામલો અદાલતમાં પહોંચ્યો હતો. લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈ બાદ બંને પક્ષો દ્વારા વડીલો અને આગેવાનોની મધ્યસ્થીથી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કરાયો હતો.બનાવ અંગે બંને પક્ષો વચ્ચે સમજાવટથી સુખદ સમાધાન સધાયું હતું. સમાધાનની શરતો અને સંમતિપત્રક અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

ગણેશ જાડેજાને મળી મોટી કાનૂની રાહત

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે બંને પક્ષો વચ્ચે થયેલા પરસ્પર સમાધાનને ધ્યાને લીધું હતું. કોર્ટે તમામ બાબતોની કાનૂની ચકાસણી કર્યા બાદ ગણેશ જાડેજાને આ કેસમાંથી મુક્ત (છુટકારો) કરવાનો આદેશ કર્યો છે. અદાલતના આ ચુકાદાથી ગણેશ જાડેજા અને તેમના સમર્થકોએ મોટી રાહત અનુભવી છે અને જૂનાગઢના બહુચર્ચિત કાનૂની વિવાદનો આખરે સત્તાવાર અંત આવ્યો છે.

આ પણ વાંચો: Idar: રાણી તળાવમાં નાહવા પડેલા 4 યુવાનો પૈકી 1 યુવક ડૂબ્યો, 3નો આબાદ બચાવ