જૂનાગઢના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બનેલા કેસમાં આજે ગણેશ જાડેજા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજુ સોલંકીના પુત્રને માર મારવા અને હુમલો કરવા અંગે ગણેશ જાડેજા સામે નોંધાયેલા ગંભીર કેસમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો મોટો નિર્ણય
આ કેસની વિગત મુજબ, ભૂતકાળમાં રાજુ સોલંકીના પુત્ર સાથે થયેલી અથડામણ અને મારપીટના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ આ મામલો અદાલતમાં પહોંચ્યો હતો. લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈ બાદ બંને પક્ષો દ્વારા વડીલો અને આગેવાનોની મધ્યસ્થીથી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કરાયો હતો.બનાવ અંગે બંને પક્ષો વચ્ચે સમજાવટથી સુખદ સમાધાન સધાયું હતું. સમાધાનની શરતો અને સંમતિપત્રક અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
