સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના માલીકા ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતાં 35 વર્ષીય યુવકનું મોત થયું છે. સાંજના સમયે પિતા-પુત્ર ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી ત્રાટકી હતી.
પિતાની નજર સામે પુત્ર પર વીજળી પડી
મળી રહેલી માહિતી મુજબ, માલીકા ગામના જશુભાઈ સાવજીભાઈ વંથળા તેમના પિતા સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જશુભાઈ પર અચાનક વીજળી પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. પિતાની નજર સામે જ આ ઘટના બનતાં તેમણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી.
